ડિસેમ્બર 2, 2025 7:41 પી એમ(PM)

printer

સંસદે મણિપુર વસ્તુ અને સેવા કર દ્વિતીય સુધારા ખરડો 2025 પસાર કર્યો

સંસદે મણિપુર વસ્તુ અને સેવા કર દ્વિતીય સુધારા ખરડો 2025 પસાર કર્યો. નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ આજે ગૃહમાં રજૂ કરેલો આ ખરડો મણિપુર વસ્તુ અને સેવા કર અધિનિયમ 2017માં સુધારા માટે લવાયો છે. તેનો ઉદ્દેશ નવા વસ્તુ અને સેવા કર – GST દરને લાગૂ કરવાનો પણ છે.
વર્તમાન GST દરને પાંચ અને 18 ટકા એમ બે માળખામાં રજૂ કરવાની યોજનામાં પણ સામેલ છે. કેન્દ્ર અને રાજ્યોની 56-મી GST પરિષદે પાંચ, 12, 18 અને 28 ટકાના માળખાને સંયુક્ત કરીને પાંચ અને 18 ટકામાં પરિવર્તિત કરી દીધું. 375 વસ્તુઓ પર GST દરને ઘટાડવાનો નિર્ણય કરાયો હતો.
લોકસભાએ પહેલા જ આ ખરડો પસાર કર્યો છે. કેન્દ્રીય નાણામંત્રી સીતારમણે એક પ્રશ્નના જવાબમાં કહ્યું, આ ખરડો મણિપુરમાં વેપાર સરળ બનાવશે અને બિનજરૂરી વિવાદથી બચાવશે. તેમણે કહ્યું, આ ખરડાથી વ્યવસાયોની સાથે સાથે ઉદ્યમોને પણ લાભ થશે.