ઉત્તરપ્રદેશના સંભલમાં હિંસા અંગેનો મુદ્દો આજે રાજયસભામાં ઉઠાવવામાં આવ્યો હતો.શૂન્યકાળ દરમિયાન સમાજવાદી પાર્ટીના સાંસદ રામગોપાલ યાદવે આ મુદ્દો ઉઠાવ્યો હતો અને આ પ્રકરણમાં રાજય પોલીસે દમન આચર્યું હોવાનો આક્ષેપ
કર્યો હતો.તેમણે જણાવ્યું કે, આ ઘટનામાં પાંચ વ્યક્તિઓના મૃત્યુ થયા હતા અને 20ને ઇજા થઇ હતી.બાદમાં સમાજવાદી પાર્ટી અને ટી.એમ.સી.ના સભ્યો ગૃહમાંથી વોકઆઉટ કરી ગયા હતા.
Site Admin | ડિસેમ્બર 3, 2024 2:57 પી એમ(PM) | સંભલ હિંસા
સંસદના બંને ગૃહોની કામગીરી આજે છઠ્ઠા દિવસે શરૂ થઇ – સંભલ હિંસાના મામલે રાજ્યસભામાં વિપક્ષોનો વોકઆઉટ
