ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 4, 2025 8:54 એ એમ (AM) | મંત્રી પિયુષ ગોયલ

printer

સંસદના બંને ગૃહમાં આજે રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા ફરી શરૂ કરશે.

સંસદના બંને ગૃહમાં આજે રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા ફરી શરૂ કરશે. રાજ્યસભામાં ગઈકાલે આ અંગે ચર્ચા શરૂ કરતા ભારતીય જનતા પાર્ટીનાં કિરણ ચૌધરીએ સરકારે ખેડૂતોની આવક બમણી કરવા અનેક પગલાં લીધા હોવાનું જણાવી કહ્યું, દેશ હવે ખરેખર વિકસિત ભારત તરફ આગળ વધી રહ્યો છે.
ચર્ચામાં ભાગ લેતા વિરોધ પક્ષના નેતા અને કૉંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ બેરોજગારી, ચીજવસ્તુઓના વધતા ભાવ અને અમેરિકન ડૉલર સામે ભારતીય રૂપિયાના ઘટતા મૂલ્યનો મુદ્દો ઉઠાવ્યો હતો.
દરમિયાન કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે શ્રી ખડગેના ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા હોવાના આક્ષેપને નકારી કાઢ્યા અને વિપક્ષી નેતા પર મહાકુંભ ઘટના અંગે રાજનીતિ કરવાનો પણ આક્ષેપ લગાવ્યો. જ્યારે તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીના સાંસદ ડેરેક ઓ’બ્રાયને કૃષિ, બેરોજગારી અને મહિલા અનામતના મુદ્દાઓ ઉઠાવ્યા.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ