સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે કહ્યું, વૈશ્વિક અનિશ્ચિતતા છતાં ભારત-રશિયા સંબંધો વધુ ગાઢ બની રહ્યા છે, તેમણે રશિયાને ભારતનું સમય પરિક્ષિત વિશેષ અને વ્યૂહાત્મક ભાગીદાર ગણાવ્યું. તેમણે નવી દિલ્હીમાં તેમના રશિયન સમકક્ષ આન્દ્રે બેલોસોવ સાથે લશ્કરી અને લશ્કરી તકનીકી સહકાર પર 22મી ભારત-રશિયા આંતર-સરકારી આયોગની મંત્રીસ્તરીય બેઠકના સહ-અધ્યક્ષતા કરતા આ મુજબ જણાવ્યું હતું.
શ્રી સિંઘે ઉમેર્યું, વર્ષ 2000 માં ભારત-રશિયા વ્યૂહાત્મક ભાગીદારી ઘોષણાપત્ર પર હસ્તાક્ષર થયા પછી, બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંરક્ષણ સહયોગ નોંધપાત્ર રીતે વધ્યો છે. તેમણે ઉમેર્યું કે ભારત રશિયાના નેતૃત્વ હેઠળના યુરેશિયન ઇકોનોમિક યુનિયન સાથે મુક્ત વેપાર કરાર (FTA) માટે વાટાઘાટો શરૂ કરવાનું પણ સ્વાગત કરે છે.
Site Admin | ડિસેમ્બર 4, 2025 7:53 પી એમ(PM)
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે રશિયાને ભારતનું સમય પરિક્ષિત વિશેષ અને વ્યૂહાત્મક ભાગીદાર ગણાવ્યું.