સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજથી બે દિવસ કચ્છની મુલાકાતે છે. આ મુલાકાત દરમિયાન શ્રી સિંહ આજે સાંજે ભુજમાં લશ્કરી મથક ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આવતીકાલે શ્રી સિંહ લક્કીનાળા લશ્કરી મથક ખાતે મલ્ટિ એજન્સી સુરક્ષા કવાયત નિહાળશે સાથે જ શસ્ત્ર પૂજા કરશે. શ્રી સિંહના હસ્તે અહી વિવિધ નવીન સુવિધાનું લોકાર્પણ પણ કરાશે.
Site Admin | ઓક્ટોબર 1, 2025 7:45 પી એમ(PM)
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજથી બે દિવસ કચ્છની મુલાકાતે-સાંસ્કૃતિક કાર્યક્રમ, લશ્કરી કવાયત સહિતના કાર્યક્રમામાં ઉપસ્થિત રહેશે