સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે નવી દિલ્હીમાં કન્ટ્રોલર્સ કોન્ફરન્સ, 2025નું ઉદઘાટન કરશે. આ ત્રણ દિવસીય પરિષદનું આયોજન સંરક્ષણ હિસાબ વિભાગ (DAD) દ્વારા કરવામાં આવશે.સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ કાર્યક્રમમાં આઠ ઉચ્ચ-સ્તરીય વેપાર સત્રો હશે, જેમાં બજેટ અને હિસાબમાં સુધારા, આંતરિક ઓડિટ પુનર્ગઠન, સહયોગી સંશોધન, કિંમત નિર્ધારણ નવીનીકરણ અને ક્ષમતા નિર્માણ જેવા ક્ષેત્રોને આવરી લેવામાં આવશે.આજનાં પ્રારંભિક સત્રમાં સંરક્ષણ દળોના વડા અનિલ ચૌહાણ, ત્રણેય સેનાના વડાઓ, સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિહ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહે તેવી સંભાવના છે.
Site Admin | જુલાઇ 7, 2025 7:43 એ એમ (AM)
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે નવી દિલ્હીમાં કન્ટ્રોલર્સ કોન્ફરન્સ, 2025નું ઉદઘાટન કરશે