સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે કચ્છના ભુજમાં આવેલા સ્મૃતિવનની મુલાકાત લેવા દેશવાસીઓને અનુરોધ કર્યો છે. વર્ષ 2001માં ધરતીકંપમાં જીવ ગુમાવનારા લોકોની યાદમાં બનાવવામાં આવેલા સ્મારક સ્થળ અને સંગ્રહાલય સ્મૃતિવનની મુલાકાત દરમિયાન ગઈકાલે શ્રી સિંઘે જણાવ્યું હતું.આ પહેલા શ્રી સિંઘે ભુજમાં વાયુસેના મથક ખાતે જવાનો સાથે મુલાકાત કરી.દરમિયાન તેમણે ઑપરેશન સિંદૂરમાં ભારતીય સેનાની ત્વરીત અને નિર્ણાયક કાર્યવાહીની પ્રશંસા કરી. તેમણે કહ્યું, ઑપરેશન સિંદૂરે આતંકવાદ સામે એક સખત સંદેશ આપ્યો છે અને ભારતની સૈન્ય શક્તિ અને તૈયારીઓને પણ દર્શાવી છે. ભારતની વાયુસેના પાકિસ્તાનના દરેક ખૂણામાં પહોંચવામાં સક્ષમ છે એ આ ઑપરેશન સિંદૂરે સાબિત કર્યું છે એમ પણ શ્રી સિંઘે ઉમેર્યું હતું.
Site Admin | મે 17, 2025 10:03 એ એમ (AM)
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે ભુજમાં આવેલા સ્મૃતિવનની મુલાકાત લેવા દેશવાસીઓને અનુરોધ કર્યો
