સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે ઑપરેશન સિંદૂરમાં ભારતીય વાયુસેનાની ત્વરિત અને નિર્ણાયક કાર્યવાહીની પ્રશંસા કરી અને કહ્યું, તેનાથી દેશ અને વિદેશમાં બધા ભારતીયોને ગર્વ થયો છે. ગુજરાતના ભૂજમાં વાયુસેના બેઝ પર સૈનિકોને સંબોધતા સંરક્ષણ મંત્રીએ કહ્યું, વાયુસેનાને પાકિસ્તાનમાં આતંકવાદી માળખાનો નાશ કરવામાં માત્ર 23 મિનિટનો સમય લાગ્યો.
શ્રી સિંઘે કહ્યું, આ કાર્યવાહીએ આતંકવાદ સામે મજબૂત સંદેશ આપ્યો છે અને ભારતની સૈન્ય શક્તિ અને તૈયારીઓનું પ્રદર્શન કર્યું છે. સંરક્ષણ મંત્રીએ કહ્યું, ઓપરેશન સિંદૂરમાં, ભારતીય સશસ્ત્ર દળોએ દુશ્મનને ભારે નુકસાન પણ પહોંચાડ્યું. તેમણે કહ્યું, ઑપરેશન સિંદૂરમાં ભારતીય સેનાની કાર્યક્ષમ ભૂમિકાની વિશ્વના અન્ય દેશોમાં પણ પ્રશંસા થઈ રહી છે.