ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સંરક્ષણ ક્ષેત્રમાં વધતા તણાવ વચ્ચે દેશની આક્રમક અને રક્ષણાત્મક કાર્યવાહીને મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સંરક્ષણ ક્ષેત્રમાં વધતા તણાવ વચ્ચે દેશની આક્રમક અને રક્ષણાત્મક કાર્યવાહીને મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.
ગઈકાલે નવી દિલ્હીમાં નૌકાદળના એક કાર્યક્રમને સંબોધતા તેમણે કહ્યું કે, દેશના સંરક્ષણ દળોની જટિલતાઓ સમય સાથે વધી રહી છે.
શ્રી સિંહે કહ્યું કે દેશભક્તિ, હિંમત અને શિસ્ત સૈનિકોને દેશની રક્ષા પ્રત્યેની તેમની જવાબદારીઓ નિભાવવામાં મદદ કરે છે. તેમણે ઉમેર્યું કે, દેશની આર્થિક સમૃદ્ધિ દરિયાઈ સુરક્ષા સાથે જોડાયેલી છે. શ્રી સિંહે આજના સમયમાં સાયબર સુરક્ષાને દરિયાઈ સુરક્ષાનું એક મહત્વપૂર્ણ પાસું ગણાવ્યું અને કહ્યું કે,
તેને અવગણવું ઘાતક સાબિત થઈ શકે છે.