ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જાન્યુઆરી 17, 2025 7:38 પી એમ(PM) | સંરક્ષણ મંત્રી

printer

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સંરક્ષણ અને સુરક્ષા વાતાવરણમાં વધતા તણાવને ધ્યાનમાં રાખીને દેશના આક્રમક અને રક્ષણાત્મક પ્રતિભાવોને મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સંરક્ષણ અને સુરક્ષા વાતાવરણમાં વધતા તણાવને ધ્યાનમાં રાખીને દેશના આક્રમક અને રક્ષણાત્મક પ્રતિભાવોને મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.
તેમણે કહ્યું કે, દેશના સંરક્ષણ દળોનું કાર્ય સમય જતાં વધુ જટિલ બની રહ્યું છે. તેઓ આજે નવી દિલ્હીમાં, નૌકાદળના કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા. સંરક્ષણ મંત્રીએ કહ્યું કે દેશભક્તિ અને શિસ્તની ભાવના સૈનિકોને દેશ પ્રત્યેની તેમની જવાબદારી નિભાવવામાં મદદ કરે છે. તેમણે કહ્યું કે, દેશની આર્થિક સમૃદ્ધિ દરિયાઈ સુરક્ષા સાથે જોડાયેલી છે અને તેનું રક્ષણ કરવું જરૂરી છે. સાયબર સુરક્ષાને દરિયાઈ સુરક્ષા સાથે સંબંધિત એક મહત્વપૂર્ણ પાસું ગણાવતા, શ્રી સિંહે કહ્યું કે, આજે સાયબર હુમલાઓને અવગણવું એ ઘાતક સાબિત થઈ શકે છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.