સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું છે કે, 2047 સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવવામાં યુવાનો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. દેશની તાકાત યુવાનોના જ્ઞાન, કૌશલ્ય અને દૃઢ નિશ્ચયમાં રહેલી છે.

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું છે કે, 2047 સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવવામાં યુવાનો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. દેશની તાકાત યુવાનોના જ્ઞાન, કૌશલ્ય અને દૃઢ નિશ્ચયમાં રહેલી છે.
તેમણે કહ્યું કે, યુવાનોની નવી વિચારસરણી અને તેમની કાર્યશૈલી ભારતને વિશ્વમાં એક નવી ઓળખ આપશે. શ્રી સિંહે ગઇકાલે મેરઠ સ્થિત IIMTT યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં બોલી રહ્યા હતા.