સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે પહેલગામ આતંકવાદી હુમલાની ભારે ટીકા કરી છે. વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર સાથે ફોન પર વાતચીતમાં વિદેશ મંત્રીએ શ્રી ગુટેરેસના તેમના નિવેદનની પ્રશંસા કરી. વાતચીત દરમિયાન શ્રી ગુટેરેસે પહેલગામ હુમલાના મુદ્દા પર જવાબદારીના મહત્વ પર સંમતિ વ્યક્ત કરી. સોશિયલ મીડિયા પોસ્ટમાં, ડૉ. જયશંકરે કહ્યું કે ભારત પહેલગામમાં થયેલા હુમલાના ગુનેગારો, કાવતરાખોરો અને તેમના સમર્થકોને કડક સજા કરવા પ્રતિબદ્ધ છે.
Site Admin | એપ્રિલ 30, 2025 10:09 એ એમ (AM)
સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે પહેલગામ આતંકવાદી હુમલાની ટીકા કરી
