સંયુક્ત આરબ અમીરાતના નાયબ પ્રધાનમંત્રી અને વિદેશમંત્રી શેખ અબ્દુલ્લા બિન ઝાયેદ અલ નાહયાન આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. શ્રી નાહયાન ચોથા વ્યૂહાત્મક સંવાદ અને 15મી ભારત-UAE સંયુક્ત આયોગની બેઠકમાં ભાગ લેવા ગઈ કાલે નવી દિલ્હી પહોંચ્યા હતા.
UAEના નેતાનું સ્વાગત કરતાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સોશિયલ મિડીયા પ્લેટફોર્મ એક્સ પર જણાવ્યું હતું કે, આ મુલાકાત ભારત અને UAE વચ્ચે બહુપક્ષીય વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરશે. તેઓ વિદેશ મંત્રી ડૉક્ટર એસ જયશંકર સાથે પણ મંત્રણા કરશે
Site Admin | ડિસેમ્બર 12, 2024 1:52 પી એમ(PM) | સંયુક્ત આરબ
સંયુક્ત આરબ અમીરાતના નાયબ પ્રધાનમંત્રી અને વિદેશમંત્રી શેખ અબ્દુલ્લા બિન ઝાયેદ અલ નાહયાન આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે
