ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ફેબ્રુવારી 7, 2025 2:37 પી એમ(PM) | સંસદ

printer

શ્રીલંકા દ્વારા 97 માછીમારોની ધરપકડ કરવાના વિરોધમાં વિપક્ષના સાસદોએ સંસદ બહાર વિરોધ પ્રદર્શન કર્યુ

શ્રીલંકા દ્વારા તમિલનાડુના માછીમારોની અટકાયતના મુદ્દા પર આજે અનેક વિપક્ષી સાંસદોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.
ડીએમકેના સાંસદો દયાનિધિ મારન, કનિમોઝી અને એ રાજા, કોંગ્રેસના સાંસદો હિબીડેન, આરજેડી નેતા મનોજ ઝા, સીપીઆઈના પી. સંતોષ વિરોધ કરી રહેલા સાંસદોમાં સામેલ હતા.
મીડિયા સાથે વાત કરતા, કનિમોઝીએ કહ્યું કે, શ્રીલંકાના અધિકારીઓ દ્વારા લગભગ 97 માછીમારોની ધરપકડ કરવામાં આવી છે અને તેમને પાછા લાવવા જોઈએ. બાદમાં, તેમણે શૂન્ય કલાક દરમિયાન લોકસભામાં પણ આ મુદ્દો ઉઠાવ્યો.