ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 14, 2024 8:45 એ એમ (AM) | અનુરા કુમારા દિસાનાયકે

printer

શ્રીલંકાના રાષ્ટ્રપ્રમુખ અનુરા કુમારા દિસાનાયકે આવતીકાલથી ભારતની ત્રણ દિવસની મુલાકાતે આવશે.

શ્રીલંકાના રાષ્ટ્રપ્રમુખ અનુરા કુમારા દિસાનાયકે આવતીકાલથી ભારતની ત્રણ દિવસની મુલાકાતે આવશે.
ગઈકાલે મીડિયાને માહિતી આપતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે શ્રીલંકાના રાષ્ટ્રપ્રમુખ તરીકે ચૂંટાયા બાદ શ્રી દિસાનાયકેની આ પ્રથમ વિદેશ મુલાકાત હશે.મુલાકાત દરમ્યાન શ્રી દિસાનાયકે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળશે તથા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે પરસ્પર હિતના દ્વિપક્ષીય,પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા કરશે.શ્રી જયસ્વાલે કહ્યું કે શ્રીલંકાના રાષ્ટ્રપતિ નવીપ્રમુખ દિલ્હીમાં એક વ્યાપાર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે અને બિહારમાં બોધગયાની પણ મુલાકાત લેશે.તેમણે કહ્યું કે શ્રી દિસાનાયકેની આ મુલાકાત બંને દેશો વચ્ચે બહુપક્ષીય અને પરસ્પર સહયોગને મજબૂત બનાવશે.