પવિત્ર શ્રાવણ માસના પહેલા સોમવારે આજે સવારથી શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરના દ્વાર આજે સવારે ચાર વાગ્યે ખોલવામાં આવ્યા. ત્યારે દર્શન માટે ભક્તોની લાંબી કતાર જોવા મળી.સોમનાથ મહાદેવને દરરોજની જેમ આજે પણ બિલિપત્રનો વિશેષ શણગાર કરાશે. સોમનાથ મંદિરે પગપાળા દૂરથી આવતા ભક્તો માટે સેવાભાવી લોકો દ્વારા નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી છે.બીજી તરફ, ભક્તોને મુશ્કેલી ન પડે તે માટે 24 કલાક સફાઈ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
Site Admin | જુલાઇ 28, 2025 9:30 એ એમ (AM)
શ્રાવણ માસના પહેલા સોમવારે શિવ મંદિરોમાં સવારથી ભક્તોની ભારે ભીડ