નવેમ્બર 4, 2025 9:50 એ એમ (AM)

printer

શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયા આજથી 6 નવેમ્બર સુધી બીજી વિશ્વ સામાજિક વિકાસ શિખર સંમેલનમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે

શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયા આજથી 6 નવેમ્બર સુધી દોહામાં યોજાનારી બીજી વિશ્વ સામાજિક વિકાસ શિખર સંમેલનમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે.સમિટ દરમિયાન ડૉ. માંડવિયા આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠનના સામાજિક ન્યાય માટે વૈશ્વિક જોડાણ પર મંત્રી સ્તરીય સંવાદમાં ભાગ લેશે અને સમાવેશી અને સમાન વિકાસ માટેના ભારતના દ્રષ્ટિકોણનું પ્રતિનિધિત્વ કરશે. તેઓ સામાજિક વિકાસના ત્રણ સ્તંભોને મજબૂત બનાવવા પર ઉચ્ચ-સ્તરીય ગોળમેજી પરિષદને સંબોધિત કરશે અને સમાવેશી અને ડિજિટલી સક્ષમ વિકાસ તરફ ભારતની પરિવર્તનશીલ યાત્રા પર પ્રકાશ પાડશે.