શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ સ્વસ્થ અને તંદુરસ્ત ભારતના નિર્માણમાં પ્રોત્સાહન આપતી આરોગ્યસંભાળના મહત્વ પર ભાર મૂક્યો છે.
ડૉ. માંડવિયાએ હરિયાણાના ફરીદાબાદમાં આરોગ્ય પડકારો અને સ્વસ્થ જીવનશૈલી પર આયોજિત સેમિનારને સંબોધન કરતી વખતે આ વાત કહી હતી. શ્રી માંડવિયાએ આરોગ્યસંભાળના મુખ્ય ઘટકો તરીકે ધ્યાન, યોગ અને ઉપવાસના મહત્વ પર પણ ભાર મૂક્યો. કાર્યક્રમ દરમિયાન, તેમણે ફરીદાબાદ સ્થિત ESIC મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ત્રણ અત્યાધુનિક તબીબી સુવિધાઓનું ઉદ્ઘાટન કર્યું. આ સુવિધાઓના વધારાથી વીમાધારક કામદારો અને તેમના આશ્રિતો માટે નિદાન અને સારવાર સેવાઓમાં નોંધપાત્ર સુધારો થશે.
Site Admin | માર્ચ 6, 2025 7:52 પી એમ(PM)
શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ સ્વસ્થ અને તંદુરસ્ત ભારતના નિર્માણમાં પ્રોત્સાહન આપતી આરોગ્યસંભાળના મહત્વ પર ભાર મૂક્યો છે.