ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓગસ્ટ 19, 2025 7:03 પી એમ(PM)

printer

શિક્ષણમાં લોક ભાગીદારી વધારવા શાળા વ્યવસ્થાપન સમિતિના કાર્યો બાબતે નાગરીકો પાસેથી સૂચનો મંગાવાશે.

શાળા વ્યવસ્થાપન સમિતિના કાર્યો અંગે હવે નાગરીકો પાસેથી સૂચનો મંગાવાશે. શિક્ષણમાં જન સમુદાયની ભાગીદારી વધારવા રાજ્ય સરકારે આ મહત્વનો નિર્ણય કર્યો છે.
વાંચન, ગણન, લેખન, સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ, સ્વછતા, શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ, નિયમિતતા, શાળા પ્રવાસ જેવા વિષયો પર નાગરિકો પોતાના અભિપ્રાયો આપી શકે છે.
આ માટે જાહેર જનતા આગામી ૪૫ દિવસ સુધીમાં smcgujarat@ssguj.in આ મેઈલ ID પર પોતાના સૂચનો મોકલી શકે છે તેમ, શિક્ષણ વિભાગની યાદીમાં જણાવવામાં આવ્યું છે.