શાળાઓમાં નબળા બાંધકામને સહેજ પણ નહીં ચાલવાય તેવી તાકીદ કરીને કોઈ જિલ્લામાં ગેરવહીવટ કે ગેરરીતિની માહિતી મળશે તો રાજ્ય સરકાર કડકમાં કડક પગલા લેશે તેમ શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું. વિદ્યાર્થીઓને સુરક્ષા સાથે શિક્ષણ આપવાનું કાર્ય રાજ્ય સરકારની પ્રથમ પ્રાથમિકતા રહી છે તેવો ઉલ્લેખ કરીને શિક્ષણ રાજ્ય મંત્રીએ ઉમેર્યુ હતું કે જૂનાગઢ જિલ્લાની ખજૂરી હડમતીયા શાળાનો નબળો સ્લેબ તોડવાનો કામ શરૂ કરી દેવાયું છે. અગાઉ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ભંડારીયા ગામે આવેલી સરકારી પ્રાથમિક શાળા તેમજ કામરેજ વિધાનસભાના દેરોદ ગામે નવીન આંગણવાડી કેન્દ્રના લોકાર્પણ પ્રસંગે બાંધકામની ગુણવત્તા નબળી જણાતા રાજ્ય મંત્રીએ ત્વરિત પગલાં લીધા હતા.
Site Admin | માર્ચ 30, 2025 7:19 પી એમ(PM) | શાળાઓમાં
શાળાઓમાં નબળા બાંધકામને સહેજ પણ નહીં ચાલવાય તેવી તાકીદ કરીને કોઈ જિલ્લામાં ગેરવહીવટ કે ગેરરીતિની માહિતી મળશે.
