ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 16, 2025 9:58 એ એમ (AM)

printer

શહેરી પછાત વિસ્તારોમાં આવેલી સૂચિત સોસાયટીઓ માટે દસ્તાવેજીકરણની પ્રક્રિયા સરળ બનશે.

રાજ્યમાં શહેરોના પછાત વિસ્તારોમાં આવેલી સૂચિત સોસાયટીઓના લોકો માટે દસ્તાવેજીકરણની પ્રક્રિયા સરળ બનશે. ગાંધીનગરમાં ગઈકાલે રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા, મહેસૂલ વિભાગના સચિવ અને સંબંધિત અધિકારીઓ સાથે યોજાયેલી બેઠકમાં રાજ્યમંત્રી પ્રફૂલ પાનશેરિયાએ આ મુજબ જણાવ્યું હતું.શ્રી પાનશેરિયાએ કહ્યું, શહેરોના પછાત વિસ્તારોમાં આવેલી એવી સૂચિત સોસાયટીઓના નાગરિકોને, જેઓ વર્ષો સુધી પોતાનું રહેઠાણ હોવા છતાં દસ્તાવેજી માલિકી મેળવવામાં અસમર્થ રહ્યા હોય. તેમના માટે દસ્તાવેજીકરણની પ્રક્રિયા સરળ બનશે. આ નિર્ણયથી નાગરિકો પોતાના મિલકતના અધિકાર સાથે નાણાકીય, શૈક્ષણિક તથા અન્ય કાયદાકીય લાભ પ્રાપ્ત કરી શકશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ