જુલાઇ 19, 2025 9:30 એ એમ (AM)

printer

વ્યસન મુક્તિની જાગૃતિ માટે અમદાવાદની સાબરમતી જેલમાં નાટકનું મંચન

વ્યનસ મુક્તિ અભિયાનને વધુ વેગવંતી બનાવીને જેલમાં રહેલા કેદીઓમાં સામાજીક સંદેશ પહોંચાડવા માટે જેલમાં એક નાટક ભજવાયું હતું..અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલ ખાતે કેદીઓ માટે વ્યસનના વિષય પર એક નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું. સાબરમતી સેન્ટ્રલ જેલના ડીજીપી ડૉ. કે.એલ.એન. રાવે કહ્યું હતું કે નાટકનો મુખ્ય ઉદ્દેશ્ય વ્યસનના જોખમો અને વ્યક્તિઓ, પરિવારો અને સમાજ પર તેની અસરને ઉજાગર કરવાનો હતો.