વીજળી ખોરવાઇ જવાની સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવા રાજ્ય સરકાર આકસ્મિક સેવા શરૂ કરવાનું આયોજન કરી રહી છે. જે રીતે આરોગ્ય વિષયક સમસ્યા માટે 108 એમ્બ્યુલન્સ સેવા ચાલી રહી છે તે જ રીતે ટોલ ફ્રી નંબર દ્વારા વીજળી કાર્યરત કરવા ટીમ મોકલવામાં આવશે,ગઈ કાલે ગાંધીનગરમાં ઊર્જા મંત્રી કનુભાઇ દેસાઇના અધ્યક્ષસ્થાને સ્થાયી પરામર્શ સમિતિની બેઠકમાં આ માહીતી આપવામાં આવી હતી. શ્રી દેસાઇએ જણાવ્યું કે, નાગરિકો પોતાનાં વીજ પ્રશ્નો સરળતાથી ઓનલાઇન નોંધી શકશે.
Site Admin | જૂન 11, 2025 8:55 એ એમ (AM)
વીજળી ખોરવાઇ જવાની સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવા આકસ્મિક સેવા શરૂ કરવાનું આયોજન
