વિપક્ષી ઈન્ડિયા ગઠબંધનના સાંસદોએ આજે એક અગ્રણી ભારતીય વેપારી જૂથ સામે કથિત લાંચના આરોપોને લઈને સંસદ પરિસરમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેઓ આ મામલે સંયુક્ત સંસદીય સમિતિની તપાસની માંગ કરી રહ્યા હતા. કોંગ્રેસ, ડાબેરીઓ અને અન્ય પક્ષો વિરોધમાં જોડાયા હતા.
જ્યારે કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કોંગ્રેસના નેતાઓને અમેરિકા સ્થિત જ્યોર્જ સોરોસ ફાઉન્ડેશન સાથેના કથિત સંબંધો અંગે સવાલ કર્યા હતા. સંસદ પરિસરમાં પત્રકારો સાથે વાત કરતા શ્રી સિંહે કોંગ્રેસે જ્યોર્જ સોરોસ ફાઉન્ડેશન સાથે તેમના નેતાઓના કથિત સંબંધો અંગે સ્પષ્ટતા કરવી જોઈએ તેમ કહ્યું હતું.
Site Admin | ડિસેમ્બર 12, 2024 2:01 પી એમ(PM) | સાંસદ
વિપક્ષી ઈન્ડિયા ગઠબંધનના સાંસદોએ આજે એક અગ્રણી ભારતીય વેપારી જૂથ સામે કથિત લાંચના આરોપોને લઈને સંસદ પરિસરમાં વિરોધ પ્રદર્શન કર્યું
