વિધાનસભામાં આજે કૃષિ, પશુપાલન અને ગ્રામ વિકાસ વિભાગના પ્રશ્નકાળથી ગૃહની કામગીરી શરૂ થઈ. ગૃહમાં આદિજાતિ વિકાસ અને પ્રાથમિક માધ્યમિક વિભાગના પ્રશ્નોની પણ ચર્ચા થશે. ગૃહમાં આવતીકાલે નિયંત્રક અને મહાલેખા પરિક્ષક- કેગનો અહેવાલ રજૂ કરાશે. કૉંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારના પ્રશ્નના જવાબમાં કૃષિમંત્રી રાઘવજી પટેલે કહ્યું, આ વર્ષે નવા 525 પશુ ચિકિત્સા અધિકારી વર્ગ-2ની ભરતી કરાશે.
Site Admin | માર્ચ 27, 2025 3:33 પી એમ(PM) | ગુજરાત વિધાનસભા
વિધાનસભામાં આજે કૃષિ, પશુપાલન અને ગ્રામ વિકાસ વિભાગના પ્રશ્નકાળથી ગૃહની કામગીરી શરૂ થઈ