વિદેશ સચિવ વિક્રમ મિશ્રી આજથી નેપાળની બે દિવસની મુલાકાતે જઈ રહ્યા છે. તેમની આ મુલાકાત નેપાળના વિદેશ સચિવ અમૃત બહાદુર રાયના આમંત્રણ પર થઈ રહી છે.ભારત અને નેપાળ વચ્ચે મજબૂત મૈત્રીપૂર્ણ સંબંધો છે. તાજેતરના વર્ષોમાં, બંને દેશો વચ્ચે વિવિધ ક્ષેત્રોમાં સહયોગમાં નોંધપાત્ર વધારો થયો છે. વિદેશ મંત્રાલયે કહ્યું છે કે ભારત તેની પાડોશી પ્રથમની નીતિ હેઠળ નેપાળ સાથેના સંબંધોને પ્રાથમિકતા આપે છે.
Site Admin | ઓગસ્ટ 17, 2025 11:27 એ એમ (AM)
વિદેશ સચિવ વિક્રમ મિશ્રી આજથી નેપાળની બે દિવસની મુલાકાતે
