ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 4, 2024 2:55 પી એમ(PM)

printer

વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેનમાં નવાં વાણિજ્ય દૂતાવાસનું ઉદઘાટન કર્યું

વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેનમાં નવાં વાણિજ્ય દૂતાવાસનું ઉદઘાટન કર્યું છે. સામાજિક માધ્યમની પોસ્ટમાં ડોક્ટર જયશંકરે જણાવ્યું છે કે, આ દૂતાવાસ ક્વિન્સલેન્ડ સાથે ભારતનું જોડાણ વધુ મજબૂત બનાવશે, શિક્ષણ અને વેપારને પ્રોત્સાહન આપશે તથા ભારતીય મૂળનાં લોકોને સેવા પૂરી પાડશે.
ડોક્ટર જયશંકર ક્વિન્સલેન્ડના ગવર્નર ડોક્ટર જેનેટ યંગને પણ મળ્યા હતા. બેઠક દરમિયાન બંને નેતાઓએ ભારત અને ક્વિન્સલેન્ડ વચ્ચે વેપાર, ઉદ્યોગ અને રોકાણની તકો ચકાસવા મુદ્દે ચર્ચા કરી હતી.