ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

વિદેશ મંત્રી ડૉ. સુબ્રમણ્યમ જયશંકરે પાકિસ્તાન પર પરોક્ષ પ્રહાર કર્યા

વિદેશ મંત્રી ડૉ. સુબ્રમણ્યમ જયશંકરે પાકિસ્તાન પર પરોક્ષ પ્રહાર કર્યા હતા. શ્રી જયશંકરે કહ્યું, પ્રાદેશિક અને વૈશ્વિક શાંતિ માટે આંતકવાદ એક જોખમ બની ગયું છે. તેમ જ આતંકવાદી હુમલાઓ કરનારાઓને અને આતંકવાદીઓને ભંડોળ પૂરું પાડનારાઓની ઓળખ કરી તેમને સજા આપવાની જરૂર છે.
તાજેતરમાં જ કઝાકિસ્તાનમાં અસ્તાનાની સમાચાર સંસ્થા સાથેના એક ઈન્ટરવ્યૂમાં શ્રી જયશંકરે એ વાત પર પણ ભાર મુક્યો હતો કે, આતંકવાદ, અલગાવવાદ અને ઉગ્રવાદ સામેની લડાઈ શાંઘાઈ સહયોગ સંગઠન – SCOની પ્રાથમિકતા છે. SCOના રાષ્ટ્રાધ્યક્ષ પરિષદની 24મી બેઠક કઝાકિસ્તાનની રાજધાની અસ્તાનામાં કઝાકિસ્તાનની અધ્યક્ષતામાં યોજાઈ હતી.
શ્રી જયશંકરે કહ્યું કઝાકિસ્તાને આતંકવાદ, અલગાવવાદ અને કટ્ટરતા સામે યુદ્ધ છેડવાના પ્રસ્તાવ પર વિચાર-વિમર્શ કર્યો તે સારી વાત છે.