વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે જણાવ્યું છે કે ભારત અને જાપાન વચ્ચે ખાસ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારી સતત આગળ વધી રહી છે. આજે નવી દિલ્હીમાં જાપાનના વિદેશ મંત્રી તોશિમિત્સુ મોટેગી સાથે 18મા ભારત-જાપાન વ્યૂહાત્મક સંવાદના સહ-અધ્યક્ષપદેથી, શ્રી જયશંકરે જણાવ્યું હતું કે ભારત અને જાપાનમાં વિશ્વ વ્યવસ્થાને આકાર આપવાની અને આંતરરાષ્ટ્રીય અર્થતંત્રને જોખમમુક્ત કરવાની અપાર ક્ષમતા છે.
એક સોશિયલ મીડિયા સંદેશમાં, વિદેશ મંત્રીએ જણાવ્યું હતું કે ચર્ચા દરમિયાન બંને દેશોએ આર્થિક સહયોગ, દરિયાઈ સુરક્ષા, પુરવઠા શૃંખલાઓને મજબૂત બનાવવા, મહત્વપૂર્ણ ખનિજો, ટેકનોલોજી, લોકો-થી-લોકોના સંબંધો અને બહુપક્ષીય સહયોગ સહિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. વિદેશ મંત્રીએ એ પણ નોંધ્યું હતું કે ભારત-પ્રશાંત ક્ષેત્ર અને પ્રાદેશિક અને વૈશ્વિક વિકાસ પર ઉપયોગી ચર્ચાઓ થઈ હતી.
Site Admin | જાન્યુઆરી 16, 2026 7:55 પી એમ(PM)
વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું કે, ભારત અને જાપાન વચ્ચે ખાસ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારી સતત આગળ વધી રહી છે.