વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ગઈકાલે જેરુસલેમમાં ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂને મળ્યા હતા. શ્રી જયશંકરે પ્રાદેશિક અને વૈશ્વિક વિકાસ પર પ્રધાનમંત્રી નેતન્યાહૂના દ્રષ્ટિકોણને મહત્વ આપે છે. વિદેશ મંત્રીએ ઇઝરાયલના અર્થતંત્ર અને ઉદ્યોગ મંત્રી નીર બરકત સાથે પણ મુલાકાત કરી હતી. ડૉ. જયશંકરે કહ્યું હતું કે, તેમણે બંને દેશો વચ્ચે રોકાણ અને નવીનતા સહયોગને આગળ વધારવા અંગે ચર્ચા કરી હતી. તેમણે આર્થિક ભાગીદારીને વધુ વેગ આપવા માટે ભારત-ઇઝરાયલ મુક્ત વેપાર કરારના વહેલા નિષ્કર્ષ પર પણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
Site Admin | ડિસેમ્બર 17, 2025 9:13 એ એમ (AM)
વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર જેરુસલેમમાં ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂને મળ્યા