ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ડિસેમ્બર 30, 2024 7:57 પી એમ(PM) | વિદેશ મંત્રી

printer

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર આજથી કતારની ત્રણ દિવસીય સત્તાવાર મુલાકાતે જશે

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર આજથી કતારની ત્રણ દિવસીય સત્તાવાર મુલાકાતે જશે. મુલાકાત દરમિયાન તેઓ કતારના પ્રધાનમંત્રી અને વિદેશ પ્રધાન શેખ મોહમ્મદ બિન અબ્દુલરહમાન બિન જાસિમ અલ થાનીને મળશે. એક નિવેદનમાં, વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, આ મુલાકાત બંને પક્ષોને રાજકીય, વેપાર, રોકાણ, ઉર્જા, સુરક્ષા, સાંસ્કૃતિક અને પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય સહિત દ્વિપક્ષીય સંબંધોના વિવિધ પાસાઓની સમીક્ષા કરવામાં સક્ષમ બનાવશે.