વિદેશ મંત્રી એસ. જયશંકર આજે મલેશિયાના કુઆલાલંપુરમાં 20મા પૂર્વ એશિયા શિખર સંમેલનમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. આ સંમેલન ભારત-પ્રશાંત ક્ષેત્રમાં શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ સામેના પડકારો પર ચર્ચા કરવાની અને પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય વિકાસ પર વિચારોનું આદાન-પ્રદાન કરવાની તક પૂરી પાડશે.દરમિયાન ગઈકાલે કુઆલાલંપુરમાં 47મા આસિયાન શિખર સંમેલનથી અલગ ડૉ. જયશંકર સિંગાપોરના વિદેશ મંત્રી વિવિયન બાલકૃષ્ણનને મળ્યા અને ભારત-સિંગાપોર સહયોગને વધુ ગાઢ બનાવવા નવા માર્ગો તથા વિકસતા વૈશ્વિક અને પ્રાદેશિક પરિદૃશ્ય પર વિચારોનું આદાન-પ્રદાન કર્યું.ડો.જયશંકરે મલેશિયાના પ્રધાનમંત્રી અનવર ઇબ્રાહિમ સાથે પણ વાતચીત કરી હતી. બંને નેતાઓએ ભારત-મલેશિયા દ્વિપક્ષીય સહયોગ અંગે ચર્ચા કરી હતી. અગાઉ, તેમણે દક્ષિણ કોરિયાના તેમના સમકક્ષ ચો હ્યુન સાથે ભારત-દક્ષિણ વચ્ચે ઓટોમોટિવ, ઇલેક્ટ્રોનિક્સ, સેમિકન્ડક્ટર, સંરક્ષણ અને જહાજ નિર્માણમાં વધુ સહયોગની ચર્ચા કરી હતી.
Site Admin | ઓક્ટોબર 27, 2025 9:28 એ એમ (AM)
વિદેશ મંત્રી એસ. જયશંકર આજે મલેશિયાના કુઆલાલંપુરમાં 20મા પૂર્વ એશિયા શિખર સંમેલનમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે