વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્ય મંત્રી ડૉક્ટર જિતેન્દ્ર સિંહે કહ્યું છે કે, ભારત પાસે 2035 સુધીમાં પોતાનું અવકાશ મથક ‘ભારત અંતરિક્ષ મથક’ હશે અને 2040 સુધીમાં એક ભારતીય નાગરિક ચંદ્ર પર ઉતરાણ કરશે.
નવી દિલ્હીમાં ‘તમામ વિજ્ઞાન મંત્રાલયોની સિદ્ધિઓ’ અંગેની એક પત્રકાર પરિષદને સંબોધતા ડોક્ટર સિંહે કહ્યું કે, સરકાર અવકાશ ક્ષેત્રે કરેલા સુધારાને કારણે આ ક્ષેત્ર ખુલ્લું મૂકાયું છે. તેમણે ઉમેર્યું કે, અત્યાર સુધીમાં ભારતમાંથી 432 વિદેશી ઉપગ્રહો અવકાશમાં તરતા મૂકવામાં આવ્યા છે, જેમાંથી લગભગ 90 ટકા છેલ્લા 10 વર્ષમાં છોડવામાં આવ્યા છે.
Site Admin | ડિસેમ્બર 12, 2024 8:58 એ એમ (AM) | વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ
વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્ય મંત્રી ડૉક્ટર જિતેન્દ્ર સિંહે કહ્યું છે કે, ભારત પાસે 2035 સુધીમાં પોતાનું ‘ભારત અંતરિક્ષ મથક’ હશે.
