વન વિભાગ દ્વારા દીવના નાગવા રોડ પરના જંગલમાંથી બે સિંહોનું રેસ્ક્યુ કરીને તેમને જસાધાર રેન્જમાં એનિમલ રેસ્ક્યુ સેન્ટરમાં ખસેડવામાં આવ્યા છે.
અમારા દીવના પ્રતિનિધીના જણાવ્યા પ્રમાણે, દીવના નાગવામાં ત્રણ સિંહ ફરતા હોય તેવા વીડિયો વાયરલ થયા હતા, જેથી વન વિભાગે સિંહોને પકડવા માટે અનેક જગ્યાએ પાંજરા મૂક્યા હતા, જે અંતર્ગત, ગઇ રાત્રે બે નર સિંહોને પકડી લેવામાં આવ્યા હતા અને તેમને એનિમલ રેસ્ક્યુ સેન્ટરમાં મોકલાયા હતા. હજુ એક સિંહને શોધવાના પ્રયાસો ચાલુ છે.
Site Admin | ડિસેમ્બર 2, 2024 3:34 પી એમ(PM)
વન વિભાગ દ્વારા દીવના નાગવા રોડ પરના જંગલમાંથી બે સિંહોનું રેસ્ક્યુ કરીને તેમને જસાધાર રેન્જમાં એનિમલ રેસ્ક્યુ સેન્ટરમાં ખસેડવામાં આવ્યા છે
