વડોદરાના પોર નજીક અકસ્માતની ઘટનામાં ત્રણ લોકોના ઘટનાસ્થળે મોત નીપજ્યા છે.પાવાગઢ દર્શન કરીને પરત સુરત આવતી વખતે, વડોદરાના પોર નજીક કાર હાઈવે પરથી નીચે ઉતરી
જતાં આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં ત્રણ લોકોના ઘટનાસ્થળે મોત થયા હતાં. જ્યારે પાંચ લોકોને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
અન્ય એક બનાવમાં વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આમ્રપાલી સોસાયટી પાસે કારચાલકે સ્કૂટરને ટક્કર મારી હતી. જેમાં ત્રણ લોકો મોત થયા છે . મૃતકોમાં એક પુરુષ, એક મહિલા અને એક બાળકનો સમાવેશ થાય છે.પોલીસે કાર ચાલકની ધરપકડ કરી છે.
Site Admin | માર્ચ 14, 2025 7:29 પી એમ(PM)
વડોદરાના પોર નજીક અકસ્માતની ઘટનામાં ત્રણ લોકોના ઘટનાસ્થળે મોત નીપજ્યા છે
