વડોદરમાં વિશ્વામિત્રી નદી પર કોર્પોરેશને નદી કાંઠાના બાંધકામ અંગે સર્વે કરાવ્યો હતો. હવે કોર્પોરેશન દ્વારા વિશ્વામિત્રી નદી કાંઠા વિસ્તારમાં ગેરકાયદે વસાહતો અને બાંધકામ કરનારને નોટિસ આપવામાં આવશે. આ ઉપરાંત, જે પરવાનગી આપવામાં આવી છે તેઓને પણ સમજાવીને નદીનો પટ ખુલ્લો કરાવવામાં પ્રયત્ન કરાશે. વડોદરામાં માનવસર્જિત પૂર બાદ ગુજરાત સરકારને ગંભીર નોંધ લેવી પડી છે.
ગુજરાત સરકારે પૂરનું પુનરાવર્તન ન થાય તે માટે વિશેષ ટીમ પ્રાથમિક ચર્ચા માટે મોકલી આપી છે અને આ ટીમના અધ્યયન બાદ સંપૂર્ણ અહેવાલ મુખ્યમંત્રીને સુપરત કરવામાં આવશે..આ ટીમ જાણીતા તજજ્ઞ જગન બી.એન.નવલાવાલાની અધ્યક્ષતામાં વડોદરા ખાતે આવી પહોંચી હતી. આ બેઠકમાં પ્રતાપ સરોવર અને વિશ્વામિત્રી નદીના કેચમેન્ટ વિસ્તારમાંથી આવતા વરસાદી પાણીના યોગ્ય વ્યવસ્થાપન માટે જરૂરી પગલાં વિશે ટીમે ચર્ચા કરી હતી. જોકે આ અંગે આગામી સપ્તાહે બીજી બેઠક યોજાશે બે માસમાં બી.એન.નવલાવાલાની કમિટી સરકારમાં રિપોર્ટ રજુ કરશે
વિશ્વામિત્રી નદીના રીવરફ્રન્ટ પ્રોજેકટ માટે 2005 થી કામગીરી શરૂ થઇ હતી. કોર્પોરેશન દ્વારા હાલમાં મેપિંગની કામગીરી કરવામાં આવી રહી છે. કોર્પોરેશન દ્વારા અત્યાર સુધી થયેલી કામગીરી બાદ રાજ્ય સરકાર દ્વારા 1200 કરોડ રૂપિયાનો પ્રોજેકટ ખર્ચ નક્કી કરવામાં આવ્યો છે જેના આધારે ઝડપી કામગીરી હાથ ધરવામાં આવી છે.
Site Admin | સપ્ટેમ્બર 19, 2024 3:22 પી એમ(PM) | વિશ્વામિત્રી નદી
વડોદરમાં વિશ્વામિત્રી નદી પર કોર્પોરેશને નદી કાંઠાના બાંધકામ અંગે સર્વે કરાવ્યો હતો
