સર્વોચ્ચ અદાલતે વક્ફ સુધારા અધિનિયમ, 2025 પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો છે પરંતુ કાયદાની કેટલીક જોગવાઈઓ પર રોક લગાવી દીધો છે. વકફ તરીકે મિલકત સમર્પિત કરતા પહેલા વ્યક્તિને પાંચ વર્ષ માટે મુસ્લિમ હોવા જરૂરી કલમ પર સ્ટે આપવામાં આવ્યો છે.
અદાલતે ચુકાદો આપ્યો છે કે રાજ્ય સરકારો આવી શરતો નક્કી કરવા માટે નિયમો ન બનાવે ત્યાં સુધી આ કલમ સ્થગિત રહેશે. વચગાળાનો આદેશ આપતા, અદાલતે કહ્યું કે, તેણે દરેક કલમને પ્રથમ દૃષ્ટિએ પડકાર ગણ્યો અને સમગ્ર કાયદાને સ્ટે આપવા માટે કોઈ કેસ બન્યો ન હોવાનું જણાયું.
મુંબઈમાં એક કાર્યક્રમ દરમિયાન મીડિયા સાથે વાત કરતા, લઘુમતી બાબતોના કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ સર્વોચ્ચ અદાલતના ચુકાદાનું સ્વાગત કર્યું.
Site Admin | સપ્ટેમ્બર 15, 2025 7:57 પી એમ(PM)
વક્ફ સુધારા અધિનિયમ, 2025 પર સ્ટે આપવાનો સર્વોચ્ચ અદાલતનો ઇનકાર- કેટલીક જોગવાઈઓ પર રોક લગાવી
