લોકોને સાચી માહિતી અને ગુણવત્તાયુક્ત સામગ્રી આપવાની બ્રોડકાસ્ટર્સની મોટી જવાબદારી છે :કેન્દ્રીય માહિતી અને પ્રસારણ રાજ્ય મંત્રી

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ રાજ્ય મંત્રી ડૉ. એલ મુરુગને કહ્યું કે લોકોને સાચી માહિતી અને ગુણવત્તાયુક્ત સામગ્રી આપવાની બ્રોડકાસ્ટર્સની મોટી જવાબદારી છે. આજે નવી દિલ્હીમાં ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ ખાતે યોજાયેલા બ્રોડકાસ્ટિંગ સેક્ટરમાં ઇમર્જિંગ ટ્રેન્ડ્સ અને ટેક્નોલોજી અંગેના પરિસંવાદને સંબોધતા ડૉ. મુરુગને પ્રસારણની પરિવર્તનશીલ શક્તિ અને ભવિષ્ય માટે નવી ટેકનીકને અપનાવવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે ઉલ્લેખ કર્યો કે કેન્દ્રીય કેબિનેટે તાજેતરમાં 234 નવા શહેરોમાં 730 નવી ખાનગી રેડિયો ચેનલોની સ્થાપનાને મંજૂરી આપી છે.
માહિતી અને પ્રસારણ સચિવ સંજય જાજુએ પ્રસારણ ક્ષેત્રમાં નિયમનકારી નવીનતાની મહત્વપૂર્ણ ભૂમિકા અને ઉભરતી તકનીકીઓથી આગળ રહેવાના મહત્વ પર પ્રકાશ પાડ્યો. તેમણે પ્રસાર ભારતીની ડાયરેક્ટ ટુ મોબાઈલ – D2M બ્રોડકાસ્ટિંગ પહેલનો પણ ઉલ્લેખ કર્યો, જે સક્રિય ઈન્ટરનેટ કનેક્શન વિના મોબાઈલ ઉપકરણો પર સામગ્રી અથવા લાઈવ ટીવીને પ્રસારિત કરવામાં સક્ષમ બનાવશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.