રોમાનિયાએ દર વર્ષે 30 હજાર કુશળ ભારતીય વ્યાવસાયિકોને રોજગારી આપવાની તૈયારી દર્શાવી છે.
વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્યમંત્રી જિતિન પ્રસાદ અને રોમાનિયાના શ્રમ, પરિવાર, યુવા અને સામાજિક એકતા મંત્રી પેટ્રે-ફ્લોરિન મેનોલ વચ્ચે બુકારેસ્ટમાં થયેલી બેઠક દરમિયાન રોમાનિયાએ કુશળ ભારતીય વ્યાવસાયિકોને રોજગારી આપવાની તૈયારી દર્શાવી હતી.
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા ગઈકાલે જારી કરાયેલા એક નિવેદન મુજબ, બંને મંત્રીઓએ કુશળ વ્યાવસાયિકોના સલામત, વ્યવસ્થિત, નિયમિત અને જવાબદાર સ્થળાંતરને પ્રોત્સાહન આપવા માટે ભારત અને રોમાનિયા વચ્ચે મજબૂત અને ગતિશીલ ભાગીદારી બનાવવાની તેમની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરી, જે પરસ્પર લાભ માટે શ્રમ બજાર જોડાણ વધારશે.
બેઠકમાં ભરતી પ્રક્રિયાઓ, ભાષા અને વ્યાવસાયિક તાલીમ, પ્રમાણિત રોજગાર કરારો તેમજ પ્રમાણિત નોકરીદાતાઓ માટે ઝડપી પ્રક્રિયાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.સામાજિક સુરક્ષા કરારની શક્યતા પર પણ ચર્ચા કરી.
Site Admin | નવેમ્બર 4, 2025 1:28 પી એમ(PM)
રોમાનિયાએ દર વર્ષે 30 હજાર કુશળ ભારતીય વ્યાવસાયિકોને રોજગારી આપવાની તૈયારી દર્શાવી