રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ આજે બિહાર માટે ત્રણ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનો સહિત સાત ટ્રેનોને પ્રસ્થાન કરાવ્યુ.
ત્રણ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનો મુઝફ્ફરપુરથી ચારલાપલ્લી, દરભંગાથી મદાર જંકશન અને છાપરાથી આનંદ વિહાર ટર્મિનલને જોડશે. રેલવે મંત્રી નવી દિલ્હીથી વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા આ કાર્યક્રમમાં જોડાયા હતા, જ્યારે નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ પટણા જંકશનથી ટ્રેનોને લીલી ઝંડી આપી હતી.
આ સાથે ચાર નવી પેસેન્જર ટ્રેનો નવાદા, ઇસ્લામપુર, બક્સર અને ઝાઝા સહિતના મુખ્ય શહેરોને જોડે છે. બિહારમાં ત્રણ નવી અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનો શરૂ થવાથી રાજ્યની કનેક્ટિવિટીમાં વધુ સુધારો થશે.
Site Admin | સપ્ટેમ્બર 29, 2025 2:22 પી એમ(PM)
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ ત્રણ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનો સહિત 7 ટ્રેનોને પ્રસ્થાન કરાવ્યુ
