સપ્ટેમ્બર 13, 2025 10:08 એ એમ (AM)

printer

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે થનારા બૈરાબી-સૈરાંગ રેલ્વે લાઇનના ઉદ્ઘાટનને મિઝોરમ માટે એક ઐતિહાસિક સિદ્ધિ ગણાવી

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે થનારા બૈરાબી-સૈરાંગ રેલ્વે લાઇનના ઉદ્ઘાટનને મિઝોરમ માટે એક ઐતિહાસિક સિદ્ધિ ગણાવી છે. આ રેલ્વે લાઇન મિઝોરમની રાજધાની આઈઝોલને ઇતિહાસમાં પહેલીવાર ભારતીય રેલ્વે નેટવર્ક સાથે જોડશે.આ પ્રોજેક્ટમાં 45 ટનલ અને 55 મુખ્ય પુલનો સમાવેશ થાય છે. શ્રી વૈષ્ણવે કહ્યું કે આ નવી રેલ્વે લાઇન કનેક્ટિવિટીમાં નોંધપાત્ર સુધારો કરશે અને મિઝોરમના લોકોના જીવનમાં પરિવર્તન લાવશે.શ્રી વૈષ્ણવે કહ્યું, આવતીકાલથી ઐસોરંગ ખાતે માલગાડીઓના આગમનથી, મિઝોરમના ફળો અને ડ્રેગન ફ્રૂટ જેવા દુર્લભ કૃષિ ઉત્પાદનો દેશના અન્ય ભાગો સુધી પહોંચાડવાનું સરળ બનશે. રેલવે મંત્રીએ કહ્યું કે નરેન્દ્ર મોદી સરકાર હેઠળ, 2014 થી ઉત્તર પૂર્વમાં રેલ્વે ભંડોળમાં પાંચ ગણો વધારો થયો છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.