જાન્યુઆરી 2, 2026 3:49 પી એમ(PM)

printer

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટે 1.5 કિલોમીટરની સુરંગના નિર્માણ સાથે મોટો સીમાચિહ્ન હાંસલ કર્યો

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટે મહારાષ્ટ્રના પાલઘરમાં વિરાર અને બોઇસરને જોડતી લગભગ 1.5 કિલોમીટરની સુરંગના નિર્માણ સાથે મોટો સીમાચિહ્ન હાંસલ કર્યો છે.
મહારાષ્ટ્રના પાલઘરમાં હાઇ-સ્પીડ ટનલ બ્રેકથ્રુ કાર્યક્રમને વર્ચ્યુઅલી સંબોધતા શ્રી વૈષ્ણવે કહ્યું કે આ પ્રોજેક્ટમાં કુલ સાત પર્વતીય સુરંગ અને એક દરિયાઈ સુરંગ છે.
તેમણે કહ્યું કે, મહારાષ્ટ્રમાં આ બીજી પર્વતીય સુરંગ સફળતા છે. તેમણે કહ્યું કે બુલેટ ટ્રેન મધ્યમ વર્ગ માટે પરિવહનના સસ્તા અને અનુકૂળ માધ્યમ તરીકે સેવા આપશે.
શ્રી વૈષ્ણવે ગઈકાલે જાહેરાત કરી હતી કે, ભારતને 15 ઓગસ્ટ 2027ના રોજ તેની પ્રથમ બુલેટ ટ્રેન મળવાની સંભાવના છે.