જુલાઇ 25, 2024 11:41 એ એમ (AM)

printer

રેલવે મંત્રાલય દ્વારા રાજ્યનાં 87 સ્ટેશનનો અમૃત સ્ટેશન તરીકે વિકાસ કરાશે.

રેલવે મંત્રાલય દ્વારા રાજ્યનાં 87 સ્ટેશનનો અમૃત સ્ટેશન તરીકે વિકાસ કરાશે. રેલવે ક્ષેત્રમાં ગુજરાતને આપવામાં આવેલી સુવિધા અંગે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે વીડિયો કૉન્ફરન્સના માધ્યમથી વાત કરતાં કહ્યું કે, રાજ્યમાં નવા 224 રેલવે ટ્રેક આ બજેટ અંતર્ગત બનાવવામાં આવશે.
શ્રી વૈષ્ણવે કહ્યું, અમદાવાદ—મુંબઈ બુલેટ ટ્રેનનો 508 કિલોમીટરનો પ્લાન છે. આ કામ ખૂબ જ પ્રગતિમાં ચાલી રહ્યું છે. હાલમાં અમદાવાદના સાબરમતીમાં આ પ્રૉજેક્ટ પૂર્ણ થયો છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.