જુલાઇ 1, 2025 3:21 પી એમ(PM)

printer

રેલવે મંત્રાલયે પ્રવાસી રેલવે સેવા ભાડામાં આજથી ફેરફાર લાગૂ કર્યા

રેલવે મંત્રાલયે પ્રવાસી રેલવે સેવા ભાડામાં આજથી ફેરફાર લાગૂ કર્યા છે. નૉન-ઍસી મૅલ અને ઍક્સપ્રેસ રેલગાડીઓના ભાડામાં સામાન્ય વધારો કરાયો છે. પ્રતિ કિલોમીટર એક પૈસા અને પહેલી શ્રેણીમાં બે પૈસા પ્રતિ કિલોમીટર ભાડું વધારવામાં આવ્યું છે. જ્યારે દ્વિતીય શ્રેણીમાં 500 કિલોમીટર સુધીના પ્રવાસ માટે ભાડામાં કોઈ વધારો નથી કરાયો.
મંત્રાલયે જણાવ્યું, ઉપનગરીય સિંગલ જર્ની ભાડા અને માસિક સીઝન ટિકિટમાં પણ કોઈ વધારો નથી કરાયો. આજથી પહેલા બુક કરાયેલી ટિકિટો પર ભાડામાં વધારો લાગુ થશે નહીં. જ્યારે રિઝર્વેશન ફી, સુપરફાસ્ટ ચાર્જ અને અન્ય ચાર્જમાં પણ કોઈ ફેરફાર નહીં કરાય. તો રાજધાની, શતાબ્દી, દુરન્તો, વંદે ભારત અને તેજસ જેવી વિશેષ રેલ સેવાઓ પર પણ ભાડામાં ફેરફાર લાગુ થશે.
રેલવે મંત્રાલયે જણાવ્યું, આ પગલાનો ઉદ્દેશ રેલવે ભાડાને તર્કસંગત બનાવવા અને મુસાફરોની સેવાઓ માટે ભંડોળ વધારવાનો છે.