કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, ભાવનગરમાં નવું કન્ટેનર ટર્મિનલ બનશે. ભાવનગર રેલવે મથકથી આજે ભાવનગર-અયોધ્યા કેન્ટ સાપ્તાહિક ટ્રેનને લીલીઝંડી આપતા શ્રી વૈષ્ણવે આ મહત્વની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યુ હતું સુરત અને ભાવનગર વચ્ચે નવી વંદે ભારત ટ્રેન શરૂ કરાશે. ભાવનગર કન્ટેનર ઉત્પાદનનું કેન્દ્ર બનશે.
આ ઉપરાંત પોરબંદર અને રાજકોટ વચ્ચે નવી બે ટ્રેન શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ પૈકી એક ટ્રેન દરરોજ ચાલશે અને બીજી ટ્રેન અઠવાડિયામાં પાંચ દિવસ ચાલશે. સાંભળીએ એક અહેવાલ.
આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે રાજકોટ, પોરબંદર અને જુનાગઢ જિલ્લામાં ઉભી થનાર આ સુવિધાથી આ વિસ્તારનાં લોકોનુ જીવન વધુ સરળ બનશે. ભાવનગરથી અયોધ્યાની ટ્રેન શરૂ થતાં કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયાએ તેને ઐતિહાસિક ક્ષણ ગણાવી હતી. આ કાર્યક્રમમાં રીવા-પુણે એક્સપ્રેસ, જબલપુર-રાયપુર એક્સપ્રેસ ટ્રેનને પણ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી લીલી ઝંડી આપવામાં આવી હતી. ત્યારબાદ, શ્રી વૈષ્ણવે નવાગામમાં APPL કન્ટેનર યાર્ડની મુલાકાત લીધી અને કામનું નિરિક્ષણ કર્યું. તેઓ વિકાસ ભારત સંવાદ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
Site Admin | ઓગસ્ટ 3, 2025 7:32 પી એમ(PM)
રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી કે ભાવનગરમાં નવું કન્ટેનર ટર્મિનલ બનશે