ઓગસ્ટ 9, 2025 4:59 પી એમ(PM)

printer

રેલવેએ શરૂ કરેલી રાઉન્ડ ટ્રીપ પેકેજ યોજના હેઠળ મુસાફરોને 20 ટકાની છૂટ અપાશે.

રેલવેએ રાઉન્ડ ટ્રીપ પેકેજ યોજના શરૂ કરવાનો નિર્ણય લીધો છે. તે અંતર્ગત મુસાફરોને પરત આવતા વખતે 20 ટકાની છૂટ અપાશે. આ યોજના હેઠળ આ છૂટ ત્યાં સુધી લાગુ રહેશે. જ્યારે જવા અને પરત આવવા બંને યાત્રા માટે એક જ યાત્રી સમૂહ માટે ટિકિટ બૂક કરાશે.
રેલવે મંત્રાલયે જણાવ્યું, આ યોજના હેઠળ નોંધણી કરાયેલી ટિકિટનું ભાડું પરત અહીં અપાય. 13 ઑક્ટોબર સુધીના સમયગાળા માટે આ યોજના હેઠળ બૂકિંગ આ મહિનાની 14 તારીખથી શરૂ થશે. પરત ફરતી મુસાફરી માટે ટિકિટ બૂક કરતા સમયે 60 દિવસનું એડવાન્સ રિઝર્વેશન સમયગાળો લાગુ નહીં થાય