નવેમ્બર 1, 2024 2:48 પી એમ(PM)

printer

રેલવેએ ટ્રેનની ટિકિટ માટેના એડવાન્સ રિઝર્વેશન બુકિંગના નવા નિયમો આજથી લાગુ કર્યા

રેલવેએ ટ્રેનની ટિકિટ માટેના એડવાન્સ રિઝર્વેશન બુકિંગના નવા નિયમો આજથી લાગુ કર્યા છે. જે મુજબ ટ્રેનોમાં એડવાન્સ રિઝર્વેશન માટેની હાલની સમય મર્યાદા 120 દિવસથી ઘટાડીને 60 દિવસ કરાઇ છે. રેલ્વે મંત્રાલયના જણાવ્યા અનુસાર 61 થી 120 દિવસના સમયગાળા માટે કરવામાં આવેલ લગભગ 21 ટકા રિઝર્વેશન રદ થઈ જતાં હોવાથી આ નિર્ણય લેવાયો છે. મંત્રાલયે ઉમેર્યું હતું કે વિદેશી પ્રવાસીઓ માટે 365 દિવસની એડવાન્સ રિઝર્વેશન બુકિંગ મર્યાદા યથાવત રાખવામાં આવી છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.