રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ પોલિસી રેટ રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો છે. આ ઘટાડા પછી, રેપો રેટ 6.5 ટકાથી ઘટીને 6.25 ટકા થયો છે.
RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ, આજે આ જાહેરાત કરી હતી. રેપો રેટમાં આ ઘટાડાને કારણે લોન સસ્તી થશે અને ઈએમઆઈ પણ ઘટશે. સંજય મલ્હોત્રાએ, ત્રણ દિવસની નાણાકીય નીતિ સમિતિની બેઠક બાદ લેવાયેલા નિર્ણય વિશે પત્રકારોને માહિતી આપી. તેમણે કહ્યું કે, 6 સભ્યોની સમિતિએ સર્વાનુમતે રેપો રેટ 0.25 ટકા ઘટાડીને 6.25 ટકા કરવાનો નિર્ણય લીધો છે. .
RBI એ ફેબ્રુઆરી 2023 થી રેપો રેટ 6.5 ટકા પર યથાવત રાખ્યો હતો. ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું કે, RBI એ આગામી નાણાકીય વર્ષ 2025-26 માટે કુલ સ્થાનિક ઉત્પાદન, જીડીપી 6.7 ટકા રહેવાનો અંદાજ લગાવ્યો છે. જ્યારે ચાલુ નાણાકીય વર્ષ માટે આર્થિક વિકાસ દરનો અંદાજ 6.4 ટકા જાળવી રાખવામાં આવ્યો છે.
તેમણે જણાવ્યું હતું કે, આગામી નાણાકીય વર્ષ 2025-26માં છૂટક ફુગાવો 4.2 ટકા રહેવાની ધારણા છે, જ્યારે ચાલુ નાણાકીય વર્ષ 2024-25માં તે 4.8 ટકા રહેવાની શક્યતા છે
Site Admin | ફેબ્રુવારી 7, 2025 4:13 પી એમ(PM) | રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો હોવાની ગવર્નર મલ્હોત્રાએ જાહેરાત કરી
