રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં 11મા રાષ્ટ્રીય હાથવણાટ દિવસની ઉજવણીમાં ભાગ લેશે. કાપડ મંત્રાલય દ્વારા આયોજિત આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય ભારતના જીવંત હાથવણાટ ક્ષેત્ર અને દેશના ગ્રામીણ અર્થતંત્ર અને સાંસ્કૃતિક ઓળખમાં તેના યોગદાનનું સન્માન કરવાનો છે. દેશભરમાંથી આશરે 650 વણકરો, વિદેશી ખરીદદારો, પ્રતિષ્ઠિત વ્યક્તિઓ, નિકાસકારો અને વરિષ્ઠ સરકારી અધિકારીઓ આ કાર્યક્રમમાં હાજરી આપશે.
Site Admin | ઓગસ્ટ 7, 2025 9:17 એ એમ (AM)
રાષ્ટ્રીય હાથવણાટ દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે પુરસ્કાર એનાયત કરાશે
