સપ્ટેમ્બર 6, 2025 7:21 પી એમ(PM)

printer

રાષ્ટ્રીય અને રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકનો પુરસ્કાર મેળવનારા શિક્ષકો S.T.ની બસમાં આજીવન નિઃશુલ્ક મુસાફરી કરી શકશે

રાષ્ટ્રીય અને રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકનો પુરસ્કાર મેળવનારા શિક્ષકો S.T. નિગમની તમામ પ્રકારની બસમાં આજીવન નિઃશુલ્ક મુસાફરી કરી શકશે. ગુજરાત રાજ્ય ઍવોર્ડી ટીચર ફૅડરેશન દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ અંગે રજૂઆત કરાતા સરકારે આ નિર્ણય કર્યો છે.
અત્યાર સુધીના 957 જેટલા રાજ્ય અને રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા શિક્ષકોને આ નિર્ણયનો લાભ મળશે. ઉપરાંત ભવિષ્યમાં આવા શ્રેષ્ઠ શિક્ષકના રાજ્ય અને રાષ્ટ્રીય પુરસ્કાર મેળવનારા શિક્ષકોને પણ આ લાભ મળવાપાત્ર થશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.